મોરબીમાં યોજાઈ રહેલા મહારુદ્ર યજ્ઞમાં ભાગ લેતા સાંઈરામ દવે

- text


મોરબી : મોરબીમાં રામોજી ફાર્મ ખાતે યોજાઈ રહેલા ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞમાં આજે જાણીતા હાસ્ય કલાકાર અને ચિંતક સાંઈરામ દવેએ પરિવાર સાથે સાતક બેસી યજ્ઞમાં આહુતિ આપી હતી.

મોરબીના આંગણે સતત ૨૦ દિવસ સુધી ચાલનાર અનોખા વૈદિક મહા રુદ્ર યજ્ઞમાં અત્યાર સુધીમાં દેશ વિદેશના અનેક મહાનુભાવો સહભાગી બન્યા છે ત્યારે આજે જાણીતા હાસ્ય કલાકાર અને કેળવણીકાર તેમજ તત્વ ચિંતક સાંઈરામ દવે યજ્ઞશાળામાં સજોડે સાતક બેસી આહુતિ અર્પણ કરી હતી. હજુ આ યજ્ઞ આગામી 13 એપ્રિલ સુધી ચાલી રહ્યો છે. આ મનોકામના પૂર્ણ કરતા અને ભારતીય અને શાસ્ત્રોક પરંપરા મુજબ થતા વૈદિક યજ્ઞમાં બેસવાં માટે ભાવિકોએ યજ્ઞ સ્થળે રામજીભાઈ દેત્રોજા (9825467647) અને કેશુભાઈ ઠોરિયા (9712399990)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

 

- text