- text
આપઘાત કરવાનું કારણ અકબંધ: પોલીસ તપાસનો ધમધમાટ
મોરબી:મોરબીના વીસીપરા વિસ્તારના તરુણે આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે હાલ પોલીસે આપઘાતનું કારણ શોધવા તપાસ આદરી છે
- text
પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના વિસીપરામાં આવેલા રોહીદાસપરા ખાતે રહેતા પ્રેમજી મોહનભાઈ સાગઠીયા નામના ૧૭ વર્ષના તરુણે આજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ બનાવની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ કરી તરૂણના આપઘાત કરવા પાછળનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- text