મોરબી : સિદ્ધપુરીયા રાજપૂત યુવક મંડળ દ્વારા વિધવા બહેનોને કારીયાણાની કીટ અપાઈ

- text


મોરબી : સિદ્ધપુરીયા બારસાખા રાજપૂત યુવા મંડળ તરફથી વિધવા બહેનો ને કરિયાણાની કીટ આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિદ્ધપુરીયા બારસાખા રાજપૂત સમાજના યુવક મંડળ દ્વારા આજરોજ વિધવા બહેનોને મદદરૂપ થવાના આશયથી કારીયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર આયોજનમાં સભ્યના નામ પ્રદીપભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડા, સંજયભાઈ કાનજીભાઈ ચુડાસમા, ભાવેશભાઈ લાલજીભાઈ ચુડાસમાં, રવિભાઈ પ્રવિણભાઈ ચાવડા, રાજભાઈ કિશોરભાઈ ચુડાસમા, ચેતનભાઇ ઇશ્વરભાઇ ચાવડા, રાજેન્દ્રસિંહ અખુભા જાડેજા, સંદીપભાઈ ઘનશ્યામભાઈ ચુડાસમા, કમલેશભાઈ વાલજીભાઈ ચૌહાણ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text