મોરબીના રીલીફ નગર જૈન દેરાસરમાં ૨૯મીએ મહાવીર સ્વામી જન્મના વધામણા

- text


જૈન સંગીતકાર ભાવેશભાઈ દોશીનો ભક્તિસંગીત કાર્યક્રમ યોજાશે : ૧૧ લક્કી ડ્રોનું આયોજન

મોરબી: મોરબીના લાલબાગ વિસ્તારમાં આવેલા રીલીફ નગર જૈન દેરાસર ખાતે આગામી તા.૨૯ને ગુરુવાર થી ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાત્રે સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર ભાવેશભાઈ દોશીનો ભક્તિ સંગીત કાર્યક્રમ પણ યોજાશે.

- text

રિલીફ નગર જૈન દેરાસર, લાલબાગ વિસ્તાર, મોરબી-૨ ખાતે આગામી તા.૨૯ને ગુરુવારના રોજ રાત્રે ૯ કલાક થી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે. તા.૨૯ એ સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર ભાવેશભાઈ દોશી નો ભક્તિસંગીત નો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાત્રીના ૧૨ વાગ્યે ભગવાન મહાવીર સ્વામીના જન્મના વધામણાં કરવામાં આવશે. આ પ્રસંગે ૧૧ લક્કી ડ્રો ના ઇનામો પણ રાખવામાં આવ્યા છે. વિજેતાઓને ચાંદીના સિક્કા આપવામાં આવશે.આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા ધર્મ પ્રેમી જનતા તથા સકલ સંઘોને રિલીફ નગર જૈન દેરાસર કમિટી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text