વાંકાનેર : જાલસીકા ગામ નજીક યુવક-યુવતીએ સજોડે આપઘાત કર્યો

- text


વાંકાનેર : વાંકાનેરના જાલસીકા ગામની વીડી વિસ્તારમાં યુવક-યુવતીએ સજોડે આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને બને મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ અગે પોલીસ નોધ કરી વધુ તપાસ શરુ કરી છે

- text

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકા ના જાલસીકા ગામની વીડી વિસ્તારમાં યુવક-યુવતીનો મૃતદેહ પડ્યા હોવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તાલુકાના પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને ત્યાં બને મૃતદેહ ઓળખ મેળવતા મૃતક યુવાનનું નામ જનક દેવાયતભાઈ લોખીલ ( ઉ.વ.૨૮) અને યુવતી જાગુબેન કુંવરજીભાઈ બાવળીયા (ઉ.વ.૨૧ ) હોવાની ઓળખ થઇ હતી બનેના મૃતદેહ પેહલા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ બને મૃતદેહનો પી.એમ.માટે રાજકોટ મોક્વાવમાં આવ્યા હતા. ઘટના અગે પોલીસે જણાવ્યું હતું કે ક્યાં કારણોસર બને આપઘાત કર્યો તે હજુ જાણવા મળ્યું નથી.

- text