મોરબીમાં ચોરાવ મોબાઈલ સાથે ચાર ઝડપાયા

- text


૩૫ હજારથી વધુની કિંમતના ૨૩ મોબાઈલ કબ્જે કરતી એલસીબી

મોરબી : મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ નજીકથી ૩૫૫૦૦ ની કિંમતના ૨૩ નંગ ચોરાઉ મોબાઈલ સાથે ચાર શખ્સોને ઝડપી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબી સ્ટાફના સહદેવસિંહ નિરુભા જાડેજા તથા યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે ચાર શંકાસ્પદ ઈસમો શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ નજીક મોબાઈલ વેચવાની હિલચાલ કરી રહ્યા છે,

- text

જેને પગલે એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવતા બિલ્લા રમેશ વિકાણી, રવિ જીકુભાઈ દેલવાણીયા, કમલેશ બાબુ કુંઢિયા અને લાલજી ટીડા વિકાણી રે.ચારેય લાયન્સનગર, ગોકુલનગર પાસે, સનાળા રોડ વાળાઓને રૂપિયા ૩૫૫૦૦ની કિંમતના જુદી – જુદી કંપનીના ૨૩ નંગ શંકાસ્પદ ચોરાઉ જણાતા મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.

વધુમાં એલસીબી ટીમે ચારેય આરોપીઓને સીઆરપીસી એક્ટ મુજબ અટક કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.

- text