મોરબી : ધોરણ-૧૨ની (સામાન્ય પ્રવાહ) પરિક્ષાને અનુસંધાને કલેકટરનું જાહેરનામું

- text


મોરબી : આગામી તા.૦૬/૧૧/૨૦૧૭ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા મોરબી ખાતે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ) ની યોજાનાર પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ થી મળેલ અધિકારની રૂએ કેતન પી.જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લો મોરબી એ જાહેરનામું પ્રસિધ્ધ કરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ધો.૧૨ (સામાન્ય પ્રવાહ) ની યોજાયેલ પરિક્ષાના મોરબી ખાતે ના પરિક્ષા સ્થળની આસપાસ ૨૦૦ મીટર (બસો મીટર) ના વિસ્તારમાં તા.૦૬/૧૧/૨૦૧૭ સુધી પરિક્ષામા ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહી તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્ક્યુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દિષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવું નહી તેવો હુકમ ફરમાવેલ છે.

- text

આ હુકમ નિચેનાને લાગુ પડશે નહી
સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિ સમુહ, તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યક્તિઓને (પરીક્ષાર્થીઓ મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહી.), ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિ, કોઈ સ્મશાન યાત્રાને.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

 

- text