આરોગ્ય ભારતી મોરબી દ્વારા ૯૦૦૦ લોકોને સ્વાઈન ફલૂની દવાનું નિ:શુલ્ક વિતરણ

- text


મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આરોગ્ય ભારતી – મોરબી ગુજરાત પ્રાંત દ્વારા ગઈકાલે મોરબીમાં જુદા-જુદા બે સ્થળે સ્વાઇનફ્લુ વિરોધી હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

આરોગ્ય ભારતી મોરબી દ્વારા સ્વાઈન ફલૂ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવતા અંદાજે ૯૦૦૦ વ્યક્તિએ લાભ લીધો હતો. મીરબી શહેરમાં અવની કેનાલ ચોકડી પાસે, રવાપર-શનાળા રોડ તેમજ દિવ્ય જીવન સ્ટોર પાસે, ચિત્રકુટ સોસાયટી ના નાકે, કન્યા છાત્રાલય રોડ , જીઆઇડીસી ખાતે હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું હતું અને આ અસરકારક દવા વિતરણનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હોવાનું યાદીમાં જણવાયું હતું.

 

- text