માળીયાના ભારતનગર ખાતે આશાપુરા યુવક મંડળ સો ઓરડી દ્વારા પદયાત્રિકો માટે કેમ્પ

- text


મોરબી : મોંરબીના માં આશાપુરા યુવક મંડળ સો ઓરડી દ્વારા મોરબી થી માળીયા તરફ 24 કિમિ ના અંતરે ભારતનગર ખાતે પદયાત્રિકો માટે કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ચા,કોફી,નાસ્તો,રહેવા જમવા,ન્હાવા અને મેડિકલ સુવિધા આપવામાં આવશે.

મોરબીના જય માં આશાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીથી 24 કિમિ દૂર માળીયા હાઇવે ઉપર ભારતનગર ગામ નજીક પદયાત્રિકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં પદયાત્રિકોને ચા, કોફી, નાસ્તો, રહેવા, જમવા અને ન્હાવા તેમજ મેડિકલ સુવિધા ઉપલબ્ધ રહેશે.સમગ્ર અયોજનનને સફળ બનાવવા માં આશાપુરા ગ્રુપ સો ઓરડી મોરબીના નાનજીભાઈ ચાવડા,ગોપાલભાઈ સોલંકી,અને ગૌતમભાઈ સોલંકી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text