- text
મોરબી : મુળ વાંકાનેર તાલુકાના લુણસર ગામના વતની જિતેન્દ્ર પટેલ હાલ અમદાવાદમાં સ્થાયી છે. તેમના ” જેઓ જીવન સાર્થક કરી ગયા” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા અને સાંસ્કુતિક મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં એકનાથજી રાનડે, તુકડોજી મહારાજ, બાલા સાહેબ દેશપાંડે, કે.કા.શાસ્ત્રી, શ્યામ પ્રસાદ મુખરજી, વીર દુર્ગાદાસ, સ્વામી રામતીર્થ જેવા 51 મહાપુરૂષોના જીવન ચરિત્ર લખ્યા છે. તેમણે 40 થીવધારે પુસ્તકો લખ્યા છે.
- text
- text