મોરબીમાં સ્વાઈફલુ રોકવા સેવાભાવી સંગઠનો મેદાને

- text


વડવાળા ગ્રુપ અને સિવિલ હોસ્પિટલના સમાજ સેવી કાર્યકર રાજુભાઇ દવે,જનક રાજા દ્વારા ઉકાળા વિતરણ

મોરબી : રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઇનફ્લુનો રામબાણ ઈલાજ દેશી આયુર્વેદમાં છે અને તેથી જ મોરબીના સેવાભાવી યુવાનો અને સંગઠનો દ્વારા સ્વાઇનફ્લુની રોકથામ માટે આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કર્યું છે.
મોરબીના વડવાળા યુવાસંગઠન અને રામજીભાઈ રબારી દ્વારા રવિવારથી સતત સાત દિવસ માટે અત્રેના વાઘપરા ખાતે ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
એ જ રીતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખડેપગે સેવા આપતા રાજુભાઇ દવે અને જનકભાઈ રાજા તથા જગદિશભાઈ બાંમભણીયા દ્વારા મંગવારે સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી નહેરુગેટ ચોક મોરબી ખાતે વિનામૂલ્યે ઉકળાનું વિતરણ કરવામાં આવશે તો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

 

- text