મોરબીમાં દેણું વધી જતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

- text


વિજય ટોકીઝ નજીક લચ્છીની લારી ચલાવતા યુવાને વહેલી સવારમાં ફાસો ખાઈ લેતા અરેરાટી

મોરબી : મોરબી રામકૃષ્ણનગરમાં આજે વહેલી સવારે આશાસ્પદ રાવળદેવ યુવાને ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં દેણું વધી જતા યુવાને આપઘાત કર્યા નું ખુલ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ સુરાજભાઈ મકવાણા ઉ.35 નામના રાવળદેવ યુવાને પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું,ઘટના અંગે પોલીસે નોંધ કરી વધુ તાપસ ઇમ્તિયાઝભાઈને સોંપી છે.
દરમિયાન તાપસનીસ અધિકારી ઇમ્તિયાઝભાઈ જામે જંવ્યું હતું કે મૃતક ભરતભાઇ અત્રેની વિજય ટોકીઝ સામે લારી રાખી લચ્છીનો ધંધો કરી જીવનનિર્વાહ ચલાવતા હતા અને છેલ્લા 10 દિવસથી ધંધો ચાલટોનહોય દેણું વધી જતા તેમને ગળેફાંસો ખાઈ આઆપઘાત કર્યો હોવાનું મૃતકના સાગા વ્હાલાઓની પ્રાથમિક પૂછપરછ માં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસે મૃતક ભરતભાઇના મોબાઇલની કોલ ડિટેલ ને આધારે પણ તાપસ શરુ કરી છે અને વ્યાજ ના ચક્કર માં તો દબાણ ને વશ થઇ આપઘાત કર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

- text

- text