સંરક્ષણદળોમાં જોડાવા માટેના તાલીમ વર્ગમાં એડમીશન માટે યોજાનાર પ્રીસ્ક્રુટીની ટેસ્ટ

- text


રોજગાર વિનિમય કચેરી મોરબી દ્રારા સંરક્ષણ દળોમાં જોડાવા માટેના નીઃશુલ્ક, નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા. ૦૧/૦૫/૨૦૧૭ થી કરવામાં આવેલ છે.સદર તાલીમ વર્ગમાં એડમીશન આાપવા માટેનો પ્રીસ્ક્રુટીની ટેસ્ટ આગામી તા ૨૫/૦૪/૨૦૧૭ ના રોજ યુ.એન.મહેતા કોલેજનું ગ્રાઉન્ડ, ભડીયાદ રોડ,નજર બાગ સામે, મોરબી ખાતે સવારના ૮-૦૦ કલાક યોજાશે.જેથી જે ઉમેદવારોએ તાલીમ વર્ગમાં જોડાવા માટેના ફોર્મ  ભરીને રોજગાર વિનિમય કચેરી, મોરબી  ખાતે  રજુ કરેલ છે. તેઓએ જરૂરી પ્રમાણપત્ર સાથે અચુક ઉપસ્થિત રહેવું તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

- text