મોરબીમાં ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


વેલનાથ બાપુની પુણ્યતિથિની ઉજવણી કરાઈ

મોરબી : આજ રોજ સંત વેલનાથ બાપુની પુણ્યતિથિ હોય મોરબીમાં ઠાકોર સમાજ દ્વારા ધામધૂમથી વેલનાથ બાપુની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મોરબીના માર્ગો પર વેલનાથ બાપુની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

- text

મોરબીમાં સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સવારે 8 વાગ્યે સ્ટેશન રોડ પરથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી નહેરુ ગેઈટ ચોક થઈ વી.સી. સ્કૂલ થઈ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી થઈ સો-ઓરડી ખાતે આવેલ ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સૌએ મહાપ્રસાદ લીધો હતો. મહત્વનું છે કે, છેલ્લા 25 વર્ષથી મોરબીમાં વેલનાથ બાપુની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

- text