મોરબીના વિરપરડા ગામે સાદરીયા પરિવારનું સ્નેહમિલન અને હવન યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ હનુમાન જયંતીના પાવન દિવસે વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર- વિરપરડા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ અને હનુમાનજી મહારાજના હવનનું આયોજન કરાયું છે.

- text

સાદરીયા પરિવારના તૃતીય વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે 22 એપ્રિલ ને સોમવારે રાત્રે 9 કલાકે રાસ ગરબા અને સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર દયારા બાપુ, ગૌતમ વ્યાસ, વિશાલ વ્યાસ, પ્રવિણ બાપુ સહિતના કલાકારો રાજલ સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે. 23 એપ્રિલ ને મંગળવારના રોજ સવારે 8 કલાકે હનુમાનજી મહારાજનો હવન યોજાશે અને બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

- text