મોરબીમાં તા.23મીએ સંત વેલનાથજીની શોભાયાત્રા યોજાશે

- text


મોરબી : સમસ્ત મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજ દ્વારા આગામી તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ સંત વેલનાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જય વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિ મોરબી જિલ્લા- માળીયા (મિ.)- ટંકારા-હળવદ-વાંકાનેર દ્વારા 23 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિરથી શોભાયાત્રાની શરૂઆત થશે. આ શોભાયાત્રા જડેશ્વર મંદિરથી સુપર ટોકિઝ, ત્રિકોણ બાગ, બજાર લાઈન, નહેરૂ ગેઈટ, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ રોડથી પુલ પર થઈ મોરબી સામા કાંઠે, ત્રાજપર ચાર રસ્તા, કુબેર પાસેથી, સો-ઓરડીમાં આવેલી ચુંવાળીયા કોળી સમાજની બોર્ડિંગ ખાતે બપોરે 12-30 કલાકે પૂર્ણ થશે.

- text

સાથે જ શોભાયાત્રાનું આયોજન પગપાળા કરવામાં આવ્યું હોય કોઈએ શોભાયાત્રામાં વાહન સાથે ન આવવા જણાવાયું છે. શોભાયાત્રા સભા સંબોધન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ શોભાયાત્રામાં ચુંવાળીયા કોળી સમાજના ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા દિપકભાઈ (અનિલભાઈ) સારલા (પ્રમુખ, વેલનાથ ઉત્સવ સમિતિ), ગોપાલભાઈ સિતાપરા (ઉપપ્રમુખ, વેલનાથ ઉત્સવ સમિતિ) અને હેમતભાઈ સુરેલા (પ્રમુખ, મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text