છાતીમાં દુખાવો, એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ, હાઈ બ્લડ પ્રેશર, હદયના વાલ્વની તકલીફ, બાળકોમાં થતી હદય રોગની તકલીફો, ધબકારા વધી જવા સહિતના રોગોનું સચોટ નિદાન કરાશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હદયરોગના નિષ્ણાંત તબીબની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ ડો. રવિ ભોજાણીની ઓપીડીનું આયોજન આગામી સોમવારના રોજ કરવામાં આવ્યું છે.
સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી ડોકટર રવિ ભોજાણી (MD , DNB -કાર્ડિયોલોજી) દ્વારા આગામી તા. 22 એપ્રિલને સોમવારના રોજ મોરબીમાં ઓપીડી યોજવામાં આવનાર છે. જેમાં જલારામ મંદિર સામે 7/8સાવસર પ્લોટમાં પહેલા માળે પરમેશ્વર પ્લાઝામાં આવેલ માધવ હોસ્પિટલમાં બપોરે 1:30 થી 3:30 સુધી તેઓની સેવા મળશે.
ઓપીડીમાં ચાલવાથી કે સીડી ચડવાથી છાતીમાં દુખાવો કે ગભરામણ થવી, એન્જીઓગ્રાફી, એન્જીઓત્લાસ્ટી કે બાયપાસ કરાયેલ હોય કે કરવાની સલાહ આપેલ હોય, હાઈ બ્લડ પ્રેશર, હદયના વાલ્વની તકલીફ, બાળકોમાં થતી હદય રોગની તકલીફો, હદયના ધબકારા વધી જવા, હદય રોગની જૂની બીમારીનું નિદાન કરવામાં આવશે.
ડો.રવિ ભોજાણી MBBS, MD મેડિસિન, DNB કાર્ડિયોલોજીની ડિગ્રી ધરાવે છે. તેઓએ અત્યાર સુધીમાં અનેક દર્દીઓની હદયરોગની સફળ સારવાર કરી છે. તેઓ નિદાન અને સારવાર ઉપરાંત સચોટ માર્ગદર્શન આપવા માટે પણ જાણીતા છે.