ટંકારાના છત્તર નજીક ફેકટરીમાં રસોઈ બનાવતા દાઝેલ પરિણીતાનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના છત્તર નજીક આવેલ પુલીકર પ્લાસ્ટિક કંપનીમા ગત તા.9 એપ્રિલના રોજ રાત્રિના સમયે રસોઈ બનાવતી વેળાએ રાધીકાબેન ગુડુભાઇ રાજભર ઉ.30 નામના પરિણીતા દાઝી જતા સારવાર માટે પ્રથમ ટંકારા બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે, મૃતકના છ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક દીકરી હોવાનું પ્રાથમિકે તપાસમાં બહાર આવ્યું છે.

- text

- text