મોરબીમાં મહિલાને ઝેર પીવડાવી સળગાવી દેવા મામલે ફરિયાદ નોંધાઈ 

- text


પરિણીતાના પતિએ ભાડિયાદના યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી 

મોરબી : વીસેક દિવસ પહેલા મોરબી તાલુકાના નાનીવાવડી ગામથી બગથળા જવાના રસ્તે આવેલ હનુમાનજીના મંદિર પાસે પરિણીતા અને યુવાને ઝેરી દવા પી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટવા પ્રકરણમાં પરિણીતાના મૃત્યુ બાદ યુવાન પણ દાઝી ગયેલ હોય આ ચકચારી બનાવમાં મૃતક પરિણીતાના પતિએ યુવાન વિરુદ્ધ પોતાની પત્નીને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારવા મામલે ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબી તાલુકા પોલીસ મથકમાં દેવજીભાઇ પ્રવિણભાઇ પરમાર નામના યુવાને આરોપી જયોતિન્દ્ર રજનીકાંત નાગર રહે. ભડીયાદ વાડી વિસ્તાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, ગત તા.11 ફેબ્રુઆરીના રોજ ફરીયાદીના પત્નિ સંગીતાબેન અનુસુચિત જાતિના હોવાનુ જાણવા છતા ફરીયાદીના પત્નિ સાથે કોઇ મનદુખ થતા, ફરીયાદીના પત્નિ સંગીતાબેનને ધરારથી કોઇ ઝેરી દવા પાઇ, શરીરે કોઇ જવલનશીલ પ્રવાહી છાટી, કોઇ રીતે સળગાવી દઇ મારી નાખી હોવાનો આરોપ લગાવી હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text