વીજ વાયર નીચે ફટાકડા ન ફોડવા પીજીવીસીએલની અપીલ 

- text


મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા અપીલ કરવામાં આવી છે કે દીપાવલીના તહેવારો દરમ્યાન ફટાકડાની આતિશબાજીમાં આકાશમાં ઉંચે જઈને ફુટતા ફટાકડાઓ, રોકેટો જેવા ફટાકડાઓ વીજલાઇનના વાયર કે કેબલની નીચે ન ફોડવા. જેથી આવા ફટાકડાને લીધે વીજલાઇનના વાયરો કેબલો તૂટવાની અને જીવંત વીજ વાયરો નીચે પડવાથી વીજ શીક લાગવાના અકસ્માતો બનવાની પૂરે પૂરી સંભાવના છે. આમ આવા શુભ દિવસો દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય વીજ અકસ્માતો અટકાવી શકાય છે.

- text

- text