સજનપર ગામે 15મીએ જાલમસંગ જાડેજા યાને નલિયા કોઠારાનો ઇતિહાસ નાટક

- text


ટંકારા : ટંકારાના સજનપર ગામે આગામી તારીખ 15 નવેમ્બરને ભાઈબીજના રોજ રાત્રે 9:30 કલાકે જાલમસંગ જાડેજા યાને નલિયા કોઠરાનો ઇતિહાસ ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી બાપા સીતારામ ગૌસેવા મંડળ તથા સજનપર ગામ સમસ્ત દ્વારા સજનપરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇતિહાસને ઉજાગર કરતુ ઐતિહાસિક નાટક જાલમસંગ જાડેજા યાને નલિયા કોઠરાનો ઇતિહાસ સાથે પેટ પકડીને હસાવતું કોમિક વાંઢાની વેદના ભજવાશે. ગૌ-સેવાના લાભાર્થે આયોજિત આ નાટકને નિહાળવા આયોજક દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text