- text
વાંકાનેર તાલુકાના ગુંદાખડાગામમાં બનેલા બનાવમાં રાજકોટના યુવાનનું અકાળે મૃત્યુ
વાંકાનેર : સમગ્ર રાજ્યમાં હાર્ટએટેક હાહાકાર મચાવી રહ્યો છે અને ખાસ કરીને નાની વયનો યુવાવર્ગ હાર્ટએટેકનો શિકાર બની રહ્યો છે ત્યારે આવા જ એક કિસ્સામા વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે માતાજીના માંડવામાં ડાક વગાડવા આવેલા રાજકોટના યુવાનને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ગઈકાલે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના ભાવનગર રોડ ઉપર થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ગોપાલભાઈ કરમશીભાઇ મેવાડા ઉ.38 નામનો યુવાન ડાક વગાડવા માટે ગુંદાખડા ગામે આવ્યો હતો અને માતાજીના માંડવામાં ડાક વગાડતી વખતે તેઓને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text