મોરબીમાં કાલે ભવાની ગરબી મંડળમાં ખોડીયાર માં તથા મહાકાળી માંની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબી શહેરમાં ભવાની ચોકમાં ભવાની ગરબી મંડળ દ્વારા 55 મો નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ બાળાઓ દ્વારા અવનવા રાસ-ગરબા પ્રસ્તુત કરવામાં આવે છે. તેમજ જુદી-જુદી રાસ મંડળી દ્વારા અલગ-અલગ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે તા. 20ને શુક્રવારે છઠ્ઠા નોરતા નિમીત્તે સિધ્ધિ વિનાયક ગૃપ- જામનગર તથા રાધે ક્રિષ્ન ગૃપ- ભાવનગર દ્વારા મહીસાસુરનો વધ, રાધા ક્રિષ્ન રાસ, શિવ તાંડવ, ખોડીયાર માં તથા મહાકાળી માંની ઝાંખી જેવા વિવિધ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. તો મોરબીની સર્વે ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text