મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવારના કુળદેવ મંદિરે હવનયજ્ઞ અને સ્નેહમિલનનું આયોજન

- text


મોરબી : મોરબીના ખરેડા ગામમા આવેલ કાથરાણી પરિવારના કુળદેવ મંદિરે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે હવનયજ્ઞ અને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના ખરેડા ગામે આવેલ કાથરાણી પરિવાર દ્વારા તા.22 ને રવિવારે સવારે 11 કલાકે 108 કુમારીકા પુજન/ ભોજન તેમજ તા.23ને સોમવારે રાત્રે 11 કલાકે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ તથા લ્હાણી વિતરણ, તા. 24 ને મંગળવારે સવારે 7:30 કલાકે હવનયજ્ઞ પ્રારંભ, બપોરના 11 કલાકે અલ્પાહાર, બપોરના 12 કલાકે સ્નેહમિલન તેમજ બપોરે 1 કલાકે હવનયજ્ઞમાં બીડૂ હોમાશે. આ સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં તેજસ્વી છાત્રોને સન્માનિત કરવાના હોવાથી જે બાળકો છેલ્લી વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હોય તેમણે તેની માર્કશીટની નકલ સાથે લાવવાની રહેશે. મોરબી તેમજ આસપાસના વિસ્તારના કાથરાણી પરિવારના દરેક સભ્યોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા કાથરાણી કુળદેવ મંદિર વતી ચંદુભાઈ કાથરાણી-ખરેડા, સુરેશભાઈ કાથરાણી-રાજકોટ, નટુભાઈ કાથરાણી-મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text