- text
મોરબી : નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્ય છે ત્યારે શનાળા રોડ પર આવેલા ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ આપવામાં આવી હતી. તેમજ 6 ગરીબ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોને અનાજ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 3 રાશન કીટ વેજલપર ગામે એક-એક કીટ ખાખરેચી કુંતાસી તથા નશીતપર ગામમાં આપવામાં આવી હતી. આ દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં ધુન મંડળના દરેક સભ્યો હાજર રહી તેમના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- text
- text