મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં ધરાશાયી થયેલા સાઈન બોર્ડને ઉભું કરતું શ્યામ મિત્ર મંડળ

- text


મોરબી : મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં આવેલું સાઈન બોર્ડ ધરાશાયી થયા બાદ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અંતે આગામી જન્માષ્ટમીના તહેવારને ધ્યાને લઈને શ્યામ મિત્ર મંડળ ગ્રુપે આ સાઈન બોર્ડ ફરી વખત વ્યસ્થિત રીતે લગાવ્યું છે.

મોરબીના નેહરુ ગેઇટ ચોકમાં આવેલ સાઈન બોર્ડ ધરાશાયી થઈ ગયુ હતુ. ઘણો સમય વીતવા છતાં પણ સંબધિત તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. ગત રાત તા. ૨૭/૮/૨૦૨૩ નાં રોજ શ્યામ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમીનો કાર્યક્રમ આગમી દિવસોમા આવી રહ્યો છે તે કામગીરી માટે શ્યામ મિત્ર મંડળના ધ્યાન દોરતાં આ સાઈન બોર્ડ શ્યામ મિત્ર મંડળના સભ્ય દ્વારા સરખું કરવામાં આવ્યું છે.

- text

- text