સુરજબારી પુલ ચાલુ જ છે ! અફ્વાઓમાં ન દોરાવા પોલીસની અપીલ 

- text


સામખીયારી પોલીસ મથક દ્વારા જાહેર જનતાને સ્પષ્ટતા કરવામાં આવી 

મોરબી : વાવાઝોડાને પગલે મોરબીથી કચ્છને જોડતા માર્ગ ઉપર સુરજબારી પુલ બંધ કરવામાં આવ્યો હોવાની અફવાઓનું સામખીયારી પોલીસ મથક દ્વારા ખંડન કરવામાં આવ્યું છે અને હાલમાં વાહનવ્યવહાર ચાલુ જ હોવાનું ભાર પૂર્વક જણાવ્યું છે.

- text

બિપરજોય વાવાઝોડાને કારણે લોકોમાં ગભરાટ છે તેવા સમયે જ કેટલાક ટીખળખોરો દ્વારા મોરબી કચ્છને જોડતા હાઇવે ઉપર સુરજબારી પુલ બંધ કરવામાં આવ્યો હોવાની અફવા ફેલાવવામાં આવી રહી હોય સામખીયારી પોલીસ મથક દ્વારા જાહેર જનતાને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સુરજબારી પુલ ચાલુ જ છે માટે લોકોએ અફ્વાઓમાં ન દોરાવું વધુ વિગતો માટે ઇમરજન્સી નંબર 100 અથવા સામખીયારી પોલીસ મથક 02837283542 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text