માળીયાના ખાખરેચી ગામે અઢી વર્ષની બાળકીનું અપહરણ

- text


પ્લાસ્ટિકની વસ્તુઓનો છૂટક વેપાર કરતા પરિવારની માસૂમ બાળકી ગુમ થયા બાદ મળી ન આવતા અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી

મોરબી : માળીયાના ખાખરેચી ગામે અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બહાર આવી છે. જેમાંપ્લાસ્ટિકની વસ્તુઓનો છૂટક વેપાર કરતા પરિવારની માસૂમ બાળકી ગુમ થયા બાદ મળી ન આવતા અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. આથી માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

માળીયા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બકડીયા, ડોલ, તગરા જેવી પ્લાસ્ટિકની વસ્તુઓનો છૂટકમાં વેપાર કરતો પરિવાર ગત તા.8ના રોજ માળીયાના ખાખરેચી ગામેં આ વસ્તુઓ વેચવા માટે ગયો હતો. દરમિયાન આ પરિવારની મહિલા સહિતના સભ્યો ખાખરેચી ગામે રામાપીરના મંદિર પાસે પડાવ નાખીને બપોરે ત્યાંજ જમીને સુઈ ગયા હતા. ત્યારે આ મહિલા અચાનક જાગીને જોતા તેમની અઢી વર્ષની બાળકી જે ત્યાં રમતી હતી તે ગુમ જોવા મળી હતી. આ મહિલા પોતાના અન્ય બાળકો તેમજ જેઠાણી અને સાસુને પૂછપરછ કરી હતી પણ બાળકીનો પત્તો લાગ્યો ન હતો. તેમજ ગામમાં અને સગા સબધીઓમાં તપાસ કરવા છતાં અઢી વર્ષની બાળકીનો આજદિન સુધી પત્તો ન લાગતા અંતે મહિલકએ આજે માળીયા પોલીસ મથકે કોઈ અજાણ્યા શખ્સ સામે કોઈ કારણોસર પોતાની માસૂમ પુત્રીનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવો છે.

- text