- text
મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આવતીકાલે તારીખ 7 એપ્રિલના રોજ પેરાલિસિસ, ખેંચ અને આંચકીને લીધે હાથના સ્નાયુમાં તકલીફની સારવાર અંગે ફ્રી નિદાન કેમ્પ યોજાશે.
- text
આવતીકાલે 7 એપ્રિલને શુક્રવારના રોજ મોરબીના સરકીટ હાઉસ મેઈન રોડ પર શિવ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલા ડો. મીતલ રૈયાણીના કેશર ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે સવારે 9-30 થી 12 અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી યોજાનાર આ ફ્રી નિદાન કેમ્પમાં પેરાલિસિસ, ખેંચ અને આંચકીને લીધે હાથના સ્નાયુમાં તકલીફની અતિ આધુનિક મશીન દ્વારા સારવાર કરવામાં આવશે.
- text