વાંકાનેર BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણનો 242મો જન્મોત્સવ ઉજવાયો

- text


વાંકાનેર : મર્યાદા પુરુષોત્તમ રામ અને ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણનું અવતરણ ચૈત્ર સુદ નોમનાં એક જ દિવસે થયું હોય રામનવમીનાં પાવન અવસરે ભગવાન સ્વામિનારાયણનાં જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વાંકાનેરનાં BAPS મંદિરે રામનવમીની રાત્રે 10 કલાકે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

વાંકાનેર મંદિરે રાત્રે 10 કલાકે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવ ઉજવાયો હતો અને પ્રાસંગિક પ્રવચન, ધૂન, કિર્તન, પ્રસાદ આરતી જેવા કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં હરિભકતોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

- text

- text