સુરજબારી ચેકપોસ્ટ નજીક ટ્રક રીપેર કરી રહેલા ચાલક ઉપર ટ્રેઇલર ફરી વળ્યું

- text


માળીયા પોલીસે નંબરને આધારે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધ્યો

માળીયા : માળીયા – કચ્છ હાઇવે ઉપર સુરજબારી ચેકપોસ્ટ નજીક રોડની સાઈડમાં કન્ટેનર ટ્રક રીપેર કરી રહેલા ઉત્તરપ્રદેશના વતની ટ્રક ચાલક ઉપર પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રેઇલર ચાલકે અકસ્માત સર્જી શરીર ઉપર વ્હિલ ફેરવી દેતા ટ્રક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા – કચ્છ હાઇવે ઉપર સુરજબારી ચેક પોસ્ટ નજીક જીજે – 14 – Z – 6040 નંબરનો કન્ટેનર ટ્રક બંધ પડી જતા ટ્રકના ચાલક આનંદકુમાર હરિલાલ પાલ ઉ.27 ટ્રક નીચે કામ કરતા હતા ત્યારે પાછળથી ધસી આવેલ આર.જે.-07-GC- 8036ના ચાલકે કન્ટેનર ટ્રક પાછળ પોતાનું ટ્રેઇલર અથડાવી મોઢાના ભાગે ટ્રેઇલરનું વ્હીલ ફેરવી દેતા આંનદ કુમાર પાલનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જોનપુર ઉત્તર પ્રદેશના ટ્રક ચાલક લાલજીભાઈ રામજતનભાઈ પાલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેઇલર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text