માળિયાના મોટા દહીંસરામાં સામે જોવાની નજીવી બાબતમાં યુવાનને રહેંસી નાખ્યાનો ઘટસ્ફોટ

- text


ઘણા સમય અગાઉ સામે જોવા જેવી નજીવી બાબતમાં ખૂંન્નસ સવાર થતા યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરનાર આરોપીને પોલીસે તાકીદે દબોચી લીધો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે અજાણ્યા શખ્સ દ્વારા યુવાનની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવતા પોલીસની તપાસમાં સામે જોવા જેવી નજીવી બાબતની જૂની અદાવત ઘાતકી પુરવાર થઈ અને એક શખ્સે છરીના ઝીકીને યુવાનને રહેંસી નાખ્યો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે હત્યાના બનાવમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને દબોચી લીધો હતો.

માળીયા મિયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોટા દહીંસરા ગામના સરપંચ જસાભાઈ ચંદુભાઈ ડાંગર દ્વારા જિલ્લા પોલીસ કંટ્રોલમાં આજે સવારે નવલખી રોડ,નર્સરી સામે રામાપીરના મંદિર નજીક વિનોદભાઈ મુળુભાઈ ચાવડા ઉ.47ની તીક્ષણ હથિયારના ઘા ઝીકી કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી નાખી હોવાની જાણ કરતા માળીયા પોલીસ કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચી ગયો હતું. વધુમાં બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીએસઆઇ ધાંધલ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતા અને હત્યાના બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- text

પોલીસે જણાવ્યું હતું કે, તેજ ગામમાં રહેતા આરોપી રમેશભાઈ ચંદુભાઈ મિયાત્રાને મૃતક યુવાન સાથે સામ સામે જોવા જેવી નજીવી બાબતે દુશ્મનાવટ થઈ હતી. આ દુશ્મનાવટથી આરોપીના મનમાં ખુંનન્સ સવાર થઈ જતા તેણે મૃતક ગામના શીતળા માતાના મંદિરે દર્શને ગયો ત્યારે છરીના ઘા ઝીકીને તેને પતાવી દીધો હતો. આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

- text