તિરંગા અને દેવી-દેવતાના ફોટાવાળી પતંગો પર પ્રતિબંધ મૂકવા ક્રાંતિકારી સેનાની માંગ

- text


રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ન થાય તે માટે પગલાં લેવા જિલ્લા કલેક્ટરને રજૂઆત

મોરબીઃ ઉત્તરાયણનો પર્વ નજીક છે અને બજારમાં પતંગોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે પતંગ મહોત્સવ દરમિયાન ભારત દેશનાં તિરંગા વાળી પતંગ તેમજ હિંદુ દેવી-દેવતાઓનાં ફોટા વાળી પતંગો બનાવવા પર પ્રતિબંધ મૂકવા મોરબીની ક્રાંતિકારી સેનાએ મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

ક્રાંતિકારી સેનાએ કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી આ પતંગો ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી હોય છે. બજારમાં ભારત દેશનાં તિરંગા કલરવાળી પતંગો માર્કેટમાં મળી રહી છે. જેમાં અશોક ચક્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. ગત વર્ષે ક્રાંતિકારી સેના દ્વારા આવી પતંગોનો વિરોધ કર્યો હતો ત્યારે સમજદાર અધિકારીઓ તેમજ દુકાનદારોએ ઘણો સહયોગ આપ્યો હતો પરંતુ ખરેખર આવી પતંગોનું ઉત્પાદન ન થાય એ ખૂબ જરૂરી છે. ગત વર્ષે અમારા દ્વારા જ્યારે દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ.

- text

આમ ક્રાંતિકારી સેનાએ આ વર્ષે પણ રાષ્ટ્રહિત માટે તિરંગા પતંગ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં ફોટાવાળી પતંગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

- text