માળિયાના મોટા દહીંસરા ગામે યુવાનની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા

- text


મોટા દહીંસરા ગામના સરપંચ દ્વારા જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાતા પોલીસ કાફલો રવાના

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવાનની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે, હત્યાના બનાવની જાણ થતા જ માળીયા પોલીસ કાફલો બનાવ સ્થળે રવાના થયો છે.

- text

માળીયા મિયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોટા દહીંસરા ગામના સરપંચ જસાભાઈ ચંદુભાઈ ડાંગર દ્વારા જિલ્લા પોલીસ કંટ્રોલમાં આજે સવારે નવલખી રોડ,નર્સરી સામે રામાપીરના મંદિર નજીક વિનોદભાઈ મુળુભાઈ ચાવડા ઉ.47ની તીક્ષણ હથિયારના ઘા ઝીકી કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હોવાની જાણ કરતા માળીયા પોલીસ કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. વધુમાં બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીએસઆઇ ધાંધલ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો છે અને હત્યાના બનાવના અંકોડા મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

- text