6 નવેબરે મોરબીમાં યોજાનારી ગુજરાત લેવલની માહેશ્વરી સમાજની બેઠક મુલતવી રખાઈ

- text


મોરબી : આગામી 6 નવેમ્બરે માહેશ્વરી સમાજની ગુજરાત પ્રદેશની એક બેઠક આયોજિત થવાની હતી પરંતુ મોરબીમાં ઝૂલતા બ્રિજની હોનારતના મૃતકોના માનમાં હાલ પૂરતી આ બેઠક મુલતવી રખાઈ છે.

આ અંગે ગુજરાત પ્રદેશ માહેશ્વરી સમાજમાં મોરબીનું ગુજરાતમાં ઉપાધ્યક્ષના પદે પ્રતિનિધિત્વ કરતા કાબરા એન્ડ કંપનીના ઓમપ્રકાશભાઈ કાબરા અને પ્રમુખ ગજાનંદ રાઠીએ જણાવ્યું હતું કે મોરબીની બ્રિજ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે માહેશ્વરી સમાજ સંવેદના દાખવે છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ આપે. તેમણે વધુમાં જણાવ્યું કે 6 નવેમ્બરે મોરબીમાં મોટી સંખ્યામાં માહેશ્વરી સમાજના પ્રતિનિધિઓની એક બેઠક મળવાની હતી. જેના માટેની બધી જ વ્યવસ્થાઓ પુરી કરી લેવાઇ હતી. બ્રિજ હોનારતની આ દુઃખદ ઘટનાને પગલે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે.

- text

- text