ઝૂલતા પુલ દુર્ઘટનાના શોકમા આજે મોરબી બંધ

- text


વેપારી એસોસિએશન દ્વારા ગોઝારી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ

મોરબી : મોરબી જળ હોનારતને યાદ અપાવનારી અને કાળજું કંપાવનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં એક સાથે 140 લોકોના મૃત્યુ નિપજવાની ઘટનાના શોકમાં આજે મોરબી વેપારી મંડળ દ્વારા મોરબીમાં વેપાર ધંધા બંધ રાખી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

મોરબી વેપારી એસોસિયેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે ઝૂલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામા મૃત્યુ પામેલા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

- text

- text