મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોના મોત

- text


મોરબીઃ મોરબીમાં ગઈકાલે સાંજે ઝૂલતો પુલ તૂટી પડતાં અત્યાર સુધી 132થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ઘણા લોકોનો પરિવાર છીનવાઈ ગયો છે. ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયાના પણ 12 સ્વજનોના મોત આ દુર્ઘટનામાં નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સાંસદ મોહનભાઈ કુંડારિયાના સગા બહેનના જેઠાણીના ચાર દીકરી, ચાર જમાઈ અને બાળકો સહીત 12 લોકોના આ દુર્ઘટનામાં કરુણ મોત થયા છે. એટલું જ નહિ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132થી વધુ લોકોના મોત થયાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે.

- text

- text