- text
મોરબી : મોરબોમાં સર્જાયેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 115 જેટલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ બચાવ કાર્ય ચાલુ હોય, મૃત્યુઆંક વધે તેવી શકયતા છે.
મોરબીમાં આજે ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મચ્છુ નદીમાંથી 115 લોકોના મૃતદેહ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એટલે હજુ પણ મ્રુત્યુઆંક વધવાની શકયતા સેવાઈ રહી છે. બીજી તરફ મોડી રાત્રે પણ શહેરમાં આ દુર્ઘટનાને પગલે ચહલ પહલ દેખાઈ રહી છે. હોસ્પિટલ બહાર લોકોની ભીડ યથાવત જોવા મળી રહી છે.
- text
- text