ટંકારાના મોટા ખીજડીયા ખાતે ઉમિયા સમાજવાડીનો ભવ્ય ઉદ્દઘાટન સમારોહ યોજાયો

- text


અજંતા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે બ્લડ ડોનેટ કરી પ્રેરણા પૂરી પાડી

ટંકારા : ટંકારાના મોટા ખીજડીયા ખાતે ઉમિયા સમાજવાડીનો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નકલંક ધામના મહંત દામજી ભગત, પ્રભુ ચરણદાશજી, વસંતભાઈ ભાલોડીયા, પોપટભાઈ કગથળા, હીરાભાઈ ફેફર, અરવિંદભાઈ બારૈયા સહિતના અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉમિયા સમાજવાડીનો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા આ શુભ પ્રસંગે જયસુખભાઈ પટેલે બ્લડ ડોનેટ કર્યું હતુ અને ઉપસ્થિત સર્વ ગ્રામજનોને વધુને વધુ બ્લડ ડોનેટ કરવા માટેની વિનમ્ર અપીલ કરી હતી. તેમજ બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને શુભેચ્છા મોમેન્ટો આપવાની પણ જાહેરાત કરી હતી જેથી વધુમાં વધુ લોકોને બ્લડ ડોનેટ કરવાની પ્રેરણા મળે. વધુમાં મોટા ખીજડીયા ગામના દરેક કાર્યકરોએ જયસુખભાઈ પટેલની ઉપસ્થિતિને હૃદય પૂર્વક આભાર માનીને બિરદાવી હતી તેમજ હર હંમેશ સાથ અને સહકાર બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text