કનાભાઈ તો બહુ ખારા, રોડ ઉપરથી લાકડા લેવાનું કહેનાર મુકેશભાઈને માર્યા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામની સીમમાં બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાને રસ્તા ઉપર પડેલ લાકડાનો ઢગલો દૂર કરવા કહેતા આરોપી કનાભાઈએ મુકેશભાઈ નામના બાઈક ચાલકને લાકડું ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે રહેતા મુકેશભાઈ કેસાભાઈ મેરે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ અને સાહેદ સંજયભાઈ મેસરિયા ગામની સીમમાંથી મોટર સાયકલ લઈને નિકળા ત્યારે આરોપી કનાભાઈ મોહનભાઇ મકવાણાએ રસ્તા ઉપર લાકડાનો ઢગલો કર્યો હોય જે દૂર કરવા કહેતા ઉશ્કેરાઈ જઈ લાકડાના ઢગલાંથી લાકડું લઈ માર માર્યો હતો.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી મુકેશભાઈએ આરોપી કનાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કનાભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text