મોરબીના જેતપર ગામે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: ગઈકાલે દશેરાના દિવસે ઠેર ઠેર રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જેતપર ગામે મિત્ર મંડળ અને સમસ્ત જેતપર ગામ દ્વારા પણ રાવણ દહનનો કાર્યક્રમ રખાયો હતો.

તારીખ 5 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 12 કલાકે જેતપર ગામે બસ સ્ટેન્ડ પાસે મિત્ર મંડળ અને સમસ્ત જેતપર ગામ દ્વારા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અસત્ય પર સત્યના વિજયના આ તહેવારની ઉજવણી કરી હતી.

- text

- text