વાંકાનેરમાં સ્વર્ગસ્થની પુણ્યતિથિ નિમિત્તે રવિવારે રક્તદાન કેમ્પ યોજાશે

- text


વાંકાનેર : આગામી તારીખ 9 ઓક્ટોબરને રવિવારના રોજ સાંજે 4:00 થી 8:00 કલાક દરમિયાન દિગંબર જૈનહોલ, દેના બેન્ક પાસે, વાંકાનેર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ કિશોરચંદ્ર અમૃતલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત રક્તદાન કેમ્પમાં સર્વે દાતાઓને બ્લડ ડોનેટ કરવા અનુરોધ કરાયો છે. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા ઈચ્છુકોએ અમિત શાહ (મોબાઈલ નંબર 87806 31635) નો સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

 

- text