મોરબીમાં સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ યોજાયો

- text


સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓ બીજા સ્થાને

મોરબી : સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓએ બીજો ક્રમ મેળવેલ હતો.

સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ ગત તા.11ને રવિવારના રોજ કરમસદ ખાતે યોજાયો હતો.જેમાં વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત આયોજિત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચમાં શિશુ વર્ગના સરસ્વતી શિશુમંદિર શનાળાના વિદ્યાર્થીઓ નિયંતા તુષારભાઈ બોપાલિયા,રાહીલ તરૂણભાઈ ભાડજા અને દક્ષ નરેન્દ્રભાઈ ફેફરએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે.તે બદલ શાળા તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text