માળિયા મીયાણા તાલુકાના 76 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી તરઘરી ગામે કરાશે

- text


માળિયા મીયાણાઃ દેશની આઝાદીના 76મા દિવસની 15મી ઓગસ્ટે દેશભરમાં ઉજવણી થનાર છે ત્યારે માળિયા મીયાણા તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી તરઘરી ગામે કરવામાં આવશે.

15મી ઓગસ્ટે માળિયા મીયાણા તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસ તરઘરી ગામે પંચાયતના ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે યોજાશે. જેમાં માળીયા મામલતદાર ડી.સી. પરમારના હસ્તે ધ્વજવંદન થશે. આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના સભ્ય અસ્મિતાબેન ચીખલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ટીડીઓ આર.એ.કોઢીયા, પીએસઆઈ બી.ડી.જાડેજા અને તાલુકા પંચાયતના સભ્ય નિર્મળસિંહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, કલાકારો, પંચાયતના સભ્યો, માજી સરપંચ, ડોક્ટરો, શિક્ષકો, સહકારી મંડળીના સભ્યો, સામાજિક કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.

- text

- text