હળવદની પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજન

હળવદ : આજરોજ હળવદ ખાતે આવેલ પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંગદાન અંગેની વિશેષ માહિતી દિલીપભાઈ દેશમુખ દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં કોણ અંગદાન કરી શકે કોને અંગદાનની જરૂર છે,અને કયા અંગ પ્રત્યારોપણ થઈ શકે તેવી માહિતી વિસ્તૃત રીતે દિલીપ દાદાએ આપી હતી.

આ કાર્યક્રમ માં હળવદમાં રહેતા નવીનભાઈના દીકરી જાહ્નવીને તેની બંને કિડની ફેઇલ થતાં તેમના માતા કૈલાશબેનએ કિડનીની દાન આપી દીકરીના જીવનમાં અજવાળું કર્યું હતું. ત્યારે તે માતા અને દીકરીનું સન્માન કર્યું હતું. તેમજ હળવદના ભટ્ટફડીમાં રહેતા અનીરુધભાઈ દવેનું લિવર ફેઇલિયર થતાં તેમને સુરતના ગીતાબેન દ્વારા લિવર નું દાન મળતા 2016ની સાલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે અંગદાન પ્રાપ્ત કરનાર અને દીકરીને કિડની નું દાન કરનાર બધા ખૂબ સ્વસ્થતાથી પોતાનું જીવન જીવી રહ્યા છે. અને તેઓએ પણ અંગદાન કરવા માટે આપિલ કરી હતી.

આજના આ કાર્યક્રમમાં હાજર સૌને અંગદાન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને નર્સિંગ કોલેજની બહેનો ભવિષ્યમાં જ્યા પણ ફરજ બજાવે ત્યાં અંગદાન અંગે
ની જાગૃતિ લાવે તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ , ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, બીપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, મામલતદાર નાનજીભાઈ ભાટી, કેતનભાઈ દવે, રવજીભાઈ દલવાડી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કાર્યક્રમનું સંકલન પતંજલિ કોલેજના સંચાલક ડૉ.અલ્પેશભાઈ સીનોજીયા અને સામાજિક કાર્યકર તપનભાઇ દવેએ કર્યું હતું.

- text