વાંકાનેરમાં જય અંબે ગરબી મંડળ દ્વારા 4 મેથી શ્રીમદ ભાગવત સપ્તાહ

- text


 

વાકાનેર : જય અંબે ગરબી મંડળ વાંકાનેર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ નીલકંઠ મહાદેવ મંદિર, રેલવે ફાટક પાસે, સ્ટેશન રોડ, મિલ પ્લોટ, વાંકાનેર ખાતે યોજાશે. કથાનો પ્રારંભ તારીખ ચોથી મેના રોજ સવારે 9:00 કલાકે તથા પૂર્ણાહુતિ 10 મેના રોજ થશે.

વક્તા વિપુલભાઈ શાસ્ત્રી (વઢવાણ નિવાસી) દરરોજ સવારે 9 થી 12 કલાકે તેમજ બપોરે 4 થી 7 કલાકે સુમધુર શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન તારીખ 6ના રોજ નરસિંહ પ્રાગટ્ય, તારીખ 7ના રોજ રામજન્મ તથા કૃષ્ણજન્મ, તારીખ 8ના રોજ નંદ મહોત્સવ, તારીખ 9ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તારીખ 10ના રોજ સુદામા ચરિત્ર તથા પરીક્ષિત મોક્ષ સાથે સપ્તાહની પૂર્ણાહુતિ થશે.

- text

કથા સાંભળવા આવેલા તમામ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસાદના દાતા લક્ષ્મણભાઈ ટપુભાઈ લોરીયા વારેવડિયા છે. કથાનો તમામ ધર્મપ્રેમીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text