જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષકા દ્વારા પુત્રના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી

- text


વિદ્યાર્થીઓને જમવાની થાળી વિતરણ કર્યું

માળીયા (મી.) : માળિયા મીયાણાની જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષકા જેમિનીબેનએ તેના પુત્ર આદિત્યનો જન્મદિન અનોખી રીતે ઉજવ્યો હતો. જેમાં તેમણે વિદ્યાર્થીઓને જમવાની થાળી વિતરણ કર્યું હતું.

આજકાલ જન્મદિવસ મોંઘી સોગાત અને બિનજરૂરી ખર્ચ કરી ઉજવાય છે પરંતુ જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષકા તરીકે ફરજ બજાવતા સોલંકી જેમિનીબેન અને રોનકભાઈ દ્વારા પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં શાળામા અભ્યાસ કરતા કુલ 108 બાળકોને જમવા માટે કાયમ ઉપયોગી થાય તે માટે મધ્યાહન ભોજનની સરસ મજાની ડિશ શાળાના બાળકોને ભેટ આપીને એક ઉમદા કાર્ય કરી શાળા તેમજ અન્ય વ્યક્તિઓને પ્રેરણદાયી થાય તેવું કાર્ય કરેલ છે.

- text

ત્યારે શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, રાષ્ટ્રીય શૈક્ષિક‌ મહાસંઘ અધ્યક્ષ, માળિયા મીયાણા મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, ચેતનભાઈ વોરા, કેશુરભાઈ ચાવડાએ સારા કાર્યને બિરદાવી શાળા પરિવાર વતી શિક્ષિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text