ટંકારાની હવેલી અને લક્ષ્મીનારાયણ મંદિરમાં ભક્તોએ ભગવાન સાથે રંગોત્સવ મનાવ્યો

- text


ટંકારા : હોળી – ધુળેટીના પર્વ પર ભક્તો ભગવાન સાથે ધુળેટીનો પર્વ ઉમંગ – ઉલ્લાસથી ઉજવતા હોય છે. ભક્તો ભગવાનને અનેક રંગો લગાવે છે. અને ધામધૂમથી રંગોત્સવ મનાવે છે. એ જ રીતે ટંકારામાંમાં પણ ભક્તો અને ભુલકાઓએ ભગવાન સાથે રંગોત્સવ ખેલ્યો હતો.

- text

ટંકારામાં ભગવાન સાથે ભક્તો અને ભુલકાઓએ રંગોના પર્વ ધુળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ટંકારામાં આવેલ હવેલી ખાતે વૈષ્ણવોએ અને લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હરિભકતોએ, નાનેરાથી લઈને યુવાનો અને વયોવૃદ્ધોએ અબીલ-ગુલાલની છોળો ઉડાવી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

- text