મોરબીમાં દાદાની પુણ્યતિથી નિમિત્તે ઝૂપડપટ્ટીના બાળકો અને અબોલ જીવોને લાડવાનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં દાદાની ૧૬મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્રએ ઝૂંપડપટ્ટીના બાળકોને તથા અબોલ જીવોને લાડવાનું વિતરણ કર્યું હતું.

- text

દાદા સ્વ. હરખજીભાઈ હરિભાઈ મારવાણીયાની ૧૬ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્ર ભાવેશભાઈ ભાણજીભાઈ મારવાણીયા (રહે. રાજપર)એ 200થી વધારે ઝૂંપડપટ્ટીના નાના બાળકોને લાડવાનું વિતરણ કર્યું હતું તથા કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં અબોલ જીવોને પણ લાડવાનું વિતરણ કરાયું હતુ.

- text