એબીવીપી મોરબી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે

- text


તિરંગા યાત્રા અને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં દેશ ભાવના જાગે એ હેતુથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં તિરંગા યાત્રા યોજવાની સાથે મોરબીના ગ્રીન ચોક ટાવર ખાતે ધ્વજવંદન કરવામાં આવશે.

એબીવીપી મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં દેશ ભાવના જાગે એ હેતુથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રીન ચોક ટાવર ખાતે ધ્વજવંદન કરવામાં આવશે.જેમાં દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.તેમજ તિરંગા યાત્રાનો કાર્યક્રમ સવારે 10:15 વાગ્યે નવા બસ સ્ટેન્ડથી ગ્રીન ચોક સુધી કોવીડ ગાઇડલાઈનનું પાલન કરી યોજાશે.

- text

એબીવીપી એ સતત રાષ્ટ્રહિત માટેના કાર્ય કરતું આવ્યું છે.ગત 15મી ઓગસ્ટ નિમિતે ગામડાઓ સુધી જઈને ધ્વજવંદનના કાર્યક્રમો કર્યાં હતાં. એ જ રીતે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિને વિદ્યાર્થીઓમાં દેશ ભાવના જાગે એ હેતુસર તિરંગા રેલી ઉપરાંત ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે.

- text